Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

'વિલીયમ શેકસપીયર' પુસ્તકનું વિમોચન

 સીસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી સાહિત્યના મહાન લેખક વિલિયમ શેકસપીયરની ૪૦૦ મી પૂણ્યતીથીની ઉજવણીના ઉપક્રમે તૈયાર કરાયેલ હસ્તલિખિત અંક 'વિલિયમ શેકસપીયર' નું વિમોચન તાજેતરમાં સૌ.યુનિ. અંગ્રેજી વિભાગના વડા ડો. જયદીપસિંહજી ડોડીયાના હસ્તે કરાયુ હતુ. કાર્યક્રમના પ્રારંભે અંકનિર્માણની પૂર્વભુમિકા અને અતિથિઓનો પરીચય સિસ્ટર નિવેદીતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક દીપકભાઇ જોશીએ આપેલ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

(1:59 pm IST)