Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રૈયા ચોકડી પાસે કડીયા કામ વખતે દિવાલ પડતાં દાહોદના મજૂરનું મોત

રાજકોટ તા. ૧૬: માધાપર ચોકડી પાસે પુલ નીચે રહેતો મુળ દાહોદનો નિતેષ રસિકભાઇ ડામોર (ઉ.૨૫) નામનો યુવાન રવિવારે સાંજે રૈયા ચોકડી નજીક નવા બનતા મકાનની સાઇટ પર કડીયા કામ કરતો હતો ત્યારે દિવાલ પરના મેડા પર ઉભો હોઇ દિવાલ ધસી પડતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં એએસઆઇ અંજુબેને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કેટલાક દિવસ પહેલા કડીયા કામ કરવા આવ્યો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસે તેના પરિવારજનોને જાણ કરતાં રાજકોટ આવવા નીકળ્યા હતાં.

(11:52 am IST)