Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રામકૃષ્ણનગરમાં બાકી વેરો વસુલવા ૧ મિલ્કત ધારકનું નળ કનેકશન કટ્ટ : આજે ૭૦ લાખની વસુલાત

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા મીલ્કત વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આજે સેન્ટ્રલ ઝોનના રામકૃષ્ણનગરમાં ૧ મકાનનો બાકી વેરો વસુલવા નળ કનેકશન કપાત કરવામાં આવેલ છે. તથા વૃંદાવન એપાર્ટમેન્ટ, હાથીખાના વિસ્તાર, યાજ્ઞીક રોડ, ગરેડીયા કુવા રોડ, બાલાજી ઇન્ડસ્ટ્રીઝ, સહકાર મેઇન રોડ, પેરેડાઇઝ હોલ, રત્નકલા એરપોર્ટ, મારૂતી કન્સ્ટ્રકશન, વાવડી વિસ્તાર, ગોવિંદ રત્ન બંગલો તથા મોરબી રોડ લાતીપ્લોટ, રણછોડનગર, કુવાડવા રોડ, મીરા, જય સીયારામ, આરતી, અટીકા સહિતની વિસ્તારમાં બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી કરવામાં આવતા રૂા. ૭૦ લાખની વસુલાત થવા પામી હતી તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)