Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પત્રકાર- લેખક કૃષ્ણકાંત ઉનડકટને સાધના પત્રકારીતા ગૌરવ પુરસ્કાર

૨૪મીએ અમદાવાદમાં રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં સમારોહ

રાજકોટ,તા.૧૬: રાષ્ટ્રીય અને પ્રેરક વિચારો પીરસતું 'સાધના' સાપ્તાહિક વર્ષ ૧૯૫૬થી અવિરત પ્રકાશિત થાય છે. 'સાધના' દ્વારા ૨૦૧૪થી નિષ્ઠાવાન પત્રકારને 'શ્રી રમણભાઈ શાહ- 'સાધના' પત્રકારિતા ગૌરવ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવે છે. આ નિમિત્તે પત્રકારિતા પુરસ્કાર તથા કાર્યકર્તા સન્માન સમારોહનું આયોજન થયું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (ભાગવત કથાકાર) તથા પુરસ્કૃત પત્રકાર શ્રી કૃષ્ણકાંત ઉનડકટ (ખ્યાતનામ પત્રકાર તથા લેખક) ખાસ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ તા.૨૪ માર્ચ રવિવારે, સવારે ૧૧ થી ૧ કલાકે ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક લિ. ઓડિટોરીયમ, ચોથા માળે, સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન, શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડની પાસે, નારણપુરા, અંકુર રોડ, અમદાવાદ ખાતે યોજાશે. આ અંગે વધુ માહિતી માટે ધર્મેન્દ્ર નાયક મો.૯૪૨૭૬ ૧૪૮૨૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:40 pm IST)