Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થ દ્વારા કાલે સર્વરોગ નિદાન - રકતદાન કેમ્પ - સન્માન

રાજકોટ, તા.૧૬ : સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થ રાજકોટ દ્વારા આવતીકાલે તા.૧૭ના રવિવારે સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ સુધી સરદાર પટેલ ભવન (ખીજડાવાળો રોડ, પાણીના ટાંકા સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ સાથે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટના અને લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના  હોદ્દેદારોનું સન્માન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થ રાજકોટની આ સંસ્થાનું વર્ષ ૨૦૧૨માં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આયોજનમાં સંસ્થાના સભ્યો સર્વેશ્રી જયેશભાઈ દુધાત્રા, ભાવેશભાઈ સોજીત્રા, કાંતિભાઈ સાકરીયા, મુકુંદભાઈ રાદડીયા, જયંતિભાઈ વેકરીયા, હરેશભાઈ બુસા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૩૭.૧૭)

 

(3:32 pm IST)