Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કાલે રાજકોટની વિવિધ સંસ્થાઓનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ

૨ાજકોટ, તા. ૧૬ૅં: તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પુલવામાં ગામમાં થયેલ અત્યંત હીન પ્રકારે થયેલ આંતકી હુમલામાં વીરગતિ વહોરનાર વીર હુતાત્માઓને ભાવપૂર્ણ અને હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલી આપવાનો એક કાર્યક્રમ કોટેચા ચોક પાસે આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કુલના હોલમાં તા.૧૭ ના રવિવારે રાખવામાં આવેલ છે.

આ શ્રધ્ધાંજલીના કાર્યક્રમમાં જેમાં નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનના શ્રી કૌશીકભાઈ ટાંક, જયેશભાઈ જાની,સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના સુરેશ પરમાર, પ્રકાશ વોરા, રમાબેન હેરભા, ઈન્ડીયન લાયન્સ એચીવર્સના પ્રફુલભાઈ, હર્ષદભાઈ, મનીષાબેન, ઈન્ડીયન લાયન્સ ઉડાનના વિજયાબેન કટારીયા, મોનાબેન, ઈન્ડીયન લાયન્સ ક્રેન્ડસના ડો.જયોતીબેન હાથી, ડો.હરેશભાઈ ભાડેસીયા, ઈન્ડીયન લાયન્સ વાયબ્રન્ટના શીતલ ત્રિવેદી,આરોગ્ય ભારતી ના જયસુખભાઈ મકવાણા,વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઈ દોશી, રઘુવંશી મૈત્રી મહિલા મંડળના જાગૃતિબેન ખીમાણી, સંવેદના સેવા સેતુના વિનોદ પટેલ,પટેલનગર યુવક મંડળના ભરત પરસાણા, ભારત વિકાસ પરીષદના પ્રફુલ ગોસ્વામી, વિનોદ લાઠીયા,નરેન્દ્ર ભાડેલીયા, રાકેશ. સોરઠીયા,નેશનલ યુથ પ્રોજેકટના રાજેશ ભાતેલીયા,દિલીપ ત્રિવેદી, અખિલ ગુજરાત લોહાણા સમાજના વિજય કારીયા,વિશ્વહિન્દુ પરીષદના શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ભગદેવ,નિતેશ કથીરીયા,વિધાર્થી પરીષદના મંત્રી મોહીતસિંહ જાડેજા,લાયન્સ આજીના ચેર પર્સન લીનાબેન શુકલ, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સના શ્રી નલીન ઝવેરી,દિકરાનું ઘર ઢોલરાના મુકેશ દોશી,વ્રજ ચેરીટેબલ ટ્રસ્ટના અરૂણ નિર્મળ બ્રામણ સેવા સંગઠનના જે.ડી. ઉપાધ્યાય ,બજરંગ મિત્ર મંડળના કે.ડી.કારીયા સહીતના  ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી આપશે.  (તસ્વીરઃ વિક્રમ ડાભી)

 

(3:28 pm IST)