Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સ્વીપર્સ યુનિયન દ્વારા સોમ થી બુધ મુખ્યમંત્રી-મેયર-કમિશનરનાં નિવાસ સ્થાને ધરણા કરશે

અખિલ વાલ્મિકી સમાજ દ્વારા સફાઇ કામદારોની ભરતી અંગેનાં આંદોલન સંદર્ભે ધરણાની મંજુરી માંગી

રાજકોટ તા.૧૬: આગામી સોમવારથી બુધવાર દરમિયાન સફાઇ કામદારોની ભરતીનાં પ્રશ્ને રાજકોટ બરો મ્યુનિસિપાલીટી સ્વીપર્સ યુનિયન દ્વારા મુખ્યમંત્રી, મેયર અને મ્યુ.કમિશનરનાં નિવાસ સ્થાને સવારે ૧૧ થી ૧૨ એમ ૧ કલાક સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

આ અંગે રાજકોટ બરો મ્યુનિસિપાલીટી સ્વીપર્સ યુનિયનનાં મહામંત્રી જગદિશભાઇ સોલંકીએ પોલીસ કમિશનર પાસે ધરણા પ્રદર્શન માટે મંજુરી માંગી છે.

આ અંગેની અરજીમાં તેઓએ જણાવ્યું છે કે ''સફાઇ કર્મચારીઓની ભરતી માટે ચાલતા આંદોલન બાબતે તા. ૧૮ને સોમવારે મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીનાં બંગલા સામે તથા તા. ૧૯ને મંગળવારે મેયર બીયનાબેન આચાર્યનાં બંગલા સામે અને તા. ૨૦ને બુધવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં બંગલા સામે સવારે ૧૧ થી ૧૨ સુધી ધરણાની મંજુરી આપવાં માંગ છે. આમ હવે સફાઇ કામદારો દ્વારા મુખ્યમંત્રી-મેયર અને કમિશનરનાં બંગલા સામે ધરણા કરી ભરતીની ઉગ્ર માંગ ઉઠાવાશે.(૧.૧૯)

 

(3:25 pm IST)