Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ત્રિકોણબાગ ચોકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ તમામ એસો,ના હોદેદારો- સદસ્યો શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

રાજકોટ : રાજકોટ;જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થતા દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે રાજ્યના અનેક શહેરોમાં લોકો રસ્તામાં પર ઉતરી આવ્યા છે કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો કરીને રોષ ઠાલવી રહ્યા છે ત્યારે રાજકોટની અનેક બજારોએ આજે સ્વયંભૂ બંધ પાળીને આક્રોશ વ્યક્ત કર્યો છેત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીઝના નેજા હેઠળ તમામ મેમ્બરો અને મુખ્ય એસો,ના હોદેદારો તેમજ સદસ્યો સાંજે 4-30 વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતે એકત્ર થઈને દેશના વીરગતિ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપશે 

(3:27 pm IST)