Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કોઠારીયાની કિંમતી જમીનમાં દાખલ થયેલ નોંધ રદબાતલ ઠરાવતા મહેસુલ સચિવ

રાજકોટઃ તા.૧૬, કોઠારીયાની ૪ ગુઠા કિંમતી જમીનમાં દાખલ થયેલ નોંધ રદ બાતલ કરાવવા મહેસુલ સચિવશ્રી કે એમ ભીમજીયાણીને ઠેરવી છે.

 રાજકોટ તાલુકાના ગામ કોઠારીયાના રે.સ.નં.૧૮૫/૩ ની જમીન એકર ૦—૦૪ ગુઠા નવી માપણીથી પોપટભાઈ જાદવભાઈ ના ખાતે ની ગામનો નમુના નં.૬ માં હકકપત્રકે ફેરફાર નોધ નં.૩૮૧ તા.૧૫-૭—૧૯૬૫ થી આવેલ છે. ત્યારબાદ પોપટભાઈ જાદવભાઈનુ અવસાન થતા તેમના કાયદેસરના વારસદાર દરજજે પ્રભાબેન પોપટલાલ પરસાણા વિગેરેના નામની વારસાઈ નોંધ ગામનો નમુનો નં.૬ માં નોંધ નં.૨૯૧૧ તા.૨૯-૮-૨૦૦૬ થી દાખલ કરીને મંજુર થયેલ, ત્યારબાદ ઉપરોકત નોંધ નં.૨૯૧૧ ચાલુ હોવા છતા ગામનો નમુનો નં.૬ માં આ મામલતદાર અને સામાવાળા મીઠા ભવાના ના વારસોએ એ નોંધ નં.૩૦૨૬ દાખલ કરેલ અને જેના તકરારી કેસ નં.૪૧/ર૦૦૭ ના કામમાં તા.૧૧—૨૦૦૮ ના રોજ હુકમ કરીને નોંધ નં.૩૦૨૬ પ્રમાણિત કરીને પ્રભાબેન પોપટલાલ પરસાણા વિગેરેના નામ કમી કરીને જમીન મીઠા ભવાનના નામ ઉપર ટ્રાન્સફર કરેલ, ત્યારબાદ મામલતદારના હુકમની સામે રાજકોટના મહે.ડે .કલેકટર સાહેબ સમક્ષ અપીલ અરજી દાખલ કરેલ જેના કેસ નં.૬૫/ર૦૦૮ તા.૧૯-૨-૨૦૧૫ થી મામલતદારનો હુકમ કાયમ રાખી અપીલ ના—મંજુર કરેલ છે.

આથી નાયબ કલેકટર સાહેબના હુકમની સામે મહે.કલેકટર સાહેબને રીવીજન અરજી કરેલ જે રીવીઝન કલેકટરે પુરતા પુરાવા ચકાસ્યા વિના તા.૪-૬-૨૦૧૯ ના હુકમથી ના-મંજુર કરેલ. પ્રભાબેન પરસાણએ કલેકટર સાહેબના તા.૪-૬-૨૦૧૯ ના હુકમ ની સામે મહેસુલ વિભાગ (વિવાદ) અમદાવાદ સમક્ષ રીવીઝન અરજી કરેલ છે.

 રીવીઝન અરજીમાં અરજદાર પ્રભાબેન પરસાણાના એડવોકેટ મનિષ એચ.પંડયાએ લેખીત મૌખિક દલીલ કરેલ રજુ કરેલ કે, નોંધ નં.૩૦૨૬ મામલતદારે  જે મંજુર કરેલ છે તે નોંધ વેચાણ દસ્તાવેજ અનુ.નં.૩૧૨૬ તા.૧૪-૧૨-૧૯૫૯ ના આધારે મંજુર કરેલ છે અને તે વેચાણ દસ્તાવેજ કુવાની જમીનનો અને એક કોષનો જ છે જયારે વાદવાળી મીલ્કત વાડાની હોય નોંધ નં.૩૦૨૬ ખોટી રીતે મંજુર કરેલ છે. એપેલન્ટ પ્રભાબેન પરસાણાનો વારસાઈ નોંધ નં.૨૯૧૧ મામલતદાર સાહેબએ મંજુર કરેલ છે. અને રેકર્ડમાં અમો એપેલન્ટનુ નામ ચાલુ હોવા છતા, મામલતદારએ પોતાનો જ હુકમ રદ કરીને સામાવાળા મીઠા ભવાનની નોંધ નં.૩૦૨૬ મંજુર કરેલ છે. જેમ કરવા મામલતદારને કોઈપણ સતા કે અધિકાર નથી. જેથી નોંધ નં.૩૦૨૬ ખોટી ગેરકાયેદસર અને કાયદા વિરૂઘ્ધની છે. આ કામના રિસ્પો. વર્ષ ૧૯૫૯ના વેચાણ દસ્તાવેજની નોંધ વર્ષે ૨૦૦૭માં કરવા માટેઆવેલ છે આમ ૪૮ વર્ષ જેટલા સમય ગાળા બાદ વેચાણ દસ્તાવેજના આધારે મીલ્કત ઉપર માલીકી હકક સાબીત કરવા માટે આવેલ છે જે કાયદાથી વિરૂઘ્ધ છે. રેવન્યુ નોંધનો નિકાલ કરવાનો અધિકાર માત્ર અને માત્ર રેવન્યુ ર્કો્ટને જ છે. વાદવાળી જમીનનો કબજો રેકર્ડ આધારે નવી માપણીથી સળગ અને અભંગ અને અવીરત પણે પ્રભાબેન પરસાણા વિગેરે પાસે જ છે. જેથી અમો નામ. સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકીને એપેલન્ટ પ્રભાબેન પરસાણા વતી મનીષ એચ પંડયાએ દલીલ કરેલ  છે. ઉપરોકત રજુઆત લેખીક મૌખીક દલીલ  માન્ય રાખીને તથા નામ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને મહેસુલ સચીવ (વિવાદ) એ પ્રભાબેન પરસાણાની રીવીઝન અરજી મંજુર કરેલ છે. અને નોંધ નં.૩૦૨૬ના મંજુર કરાવેલ છે. આ કામમાં એપેલન્ટ વતી એડવોકેટ સંજય એચ પંડયા, મનીષ એચ પંડયા, રાજેશ પટેલ, ઇર્ષાદ સેરસીયા, હિતેષભાઇ ગઢવી, હિરેન્દ્ર મકવાણા રોકાયેલ હતા.

(4:12 pm IST)