Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઘરફોડ ચોરીના ગુન્હામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા ૧૬ : રૂ ૧૨,૯૫,૬૭૦/- ની ઘરફોડ ચોરીના ગુનામાં ,કડાયેલ આરોપીને સેશન્સ અદાલતે જામીનપર છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રાજેશ વિનોદભાઇ સોમૈયા, રહે. બઘુકુલ એપાર્ટમેન્ટ, કસ્તુરબા રોડ, રાજકોટ વાળાએ આરોપી (૧) જીજ્ઞેશ હસમુખભાઇ વાગડીયા, રહે. ગુંદાવાડી શાક માર્કેટ પાસે, રાજકોટ વિગેરે-૪ વિરૂધ્ધ પોતાના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી પોતાની ગેરહાજરીમાં સોનાના દાગીના, મોબાઇલ, વિગેરે ચોરી કર્યા અંગેની પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી.

ત્યારબાદ આ કામના આરોપી જીજ્ઞેશભાઇ હસમુખભાઇ વાગડીયાએ નીચેની કોર્ટમાં જામીન અરજી કરતા જેલ હવાલે થયેલ. ત્યારબાદ તેણે સેશન્સ કોર્ટમાં જામીન ઉપરમુકત થવા અરજી ગુજારેલ જેમાં તેમના એડવોકેટ દલીલમાં જણાવેલ કે સદરહુ આખી ફરીયાદ જોવામાં આવે તો ફરીયાદમાં તેનું નામ સરનામું કે વર્ણન નથી. તેમજ સદરહુ બનાવમાં પોતાનો કોઇ જ રોલ નથી.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ રાજકોટના એડીશ્નલ સેશન્સ જજે આરોપીને રૂા વીશ હજારના શરતી જામીન ઉપરમુકત કરવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, કીશન વાલ્વા, વીરેન રાણીંગા, માધવ પરમાર, સંદીપ જેઠવા રોકાયેલા હતા.

(3:57 pm IST)