Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

નરશી પટોરીયાએ કોંગ્રેસની વિનાશની રાજનીતીને જાકારો આપી ભાજપન વિકાસ પસંદ કર્યોઃ ઉદય કાનગડ

રાજકોટઃ કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઇ પટોરીયાએ તેઓનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી અને ભાજપમાં પ્રવેશી ખળભળાટ મચાવ્યો છે. ત્યારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે આ અંગે પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં નરશીભાઇ પટોરીયાએ કોંગ્રેસની વિનાશની રાજનીતીને જાકારો આપી ભાજપની  વિકાસની રાજનીતીને પસંદ કરી છે.

તેઓએ શ્રી પટોરીયાને ભાજપ પ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર્તા સતા અને સાધન નહિ પરંતુ સેવાનું માધ્યમ માનતો આવ્યો છે. ત્યારે લોકપ્રશ્નોને વાચા આપનાર કોઇ પણ પક્ષના કાર્યકર્તાનો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા સ્વાગત છે ત્યારે કોંગ્રેસ ચુંટણી લડી શકે તેવી સ્થિતિમાં જ ન હોય પેટા ચુંટણી પહેલા જ વોર્ડ નં. ૧૩ માં ભાજપની જીત નિશ્ચિત બની છે.

(3:43 pm IST)