Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વેપારીને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં બિલ્ડરના સાથીદારના આગોતરા જામીન મંજૂર

રાજકોટ તા.૧૬ : રાજકોટના નામાંકીત બિલ્ડર એન.કે.લુણાગરીયા તથા તેની પત્ની હિના તથા બનેવી જીજ્ઞેશે ગુજરનાર હસમુખ સુરાણી સાથે ઘઉંના ધંધામાં ભાગીદારી કરી ગુજરનારની મિલકત ઉપર લોનો લઇ તે લોનોની રકમ બિલ્ડર દંપતીએ પોતાના તથા પોતાના માણસ સની જાનમહમદના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધેલ જેમાં આરોપી સનીએ રકમ રૂ.૬૫,૦૦,૦૦૦ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ તે રકમ આરોપીએ પરત કરી દીધેલના બચાવ સાથે પોતાની સંભવીત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજી રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજે રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો બિલ્ડર નિલેશ લુણાગરીયાએ ફરિયાદીના મરણ જનાર પતિ હસમુખ સુરાણી સાથે ભાગીદારીમાં ઘઉંનો વેપાર કરવા સારૂ કહી ફરીયાદીના પતિના નામે ધંધા માટે લોન લેવડાવી જે લોનના પૈસા તથા હપ્તા નામાંકીત બિલ્ડરની પૂર્વા ઇન્ફ્રાસ્ટ્રકચર પેઢીએ ભરવાનુ નકકી થયા બાદ લોનની રકમ મેળવી લીધા બાદ પણ લોન કે લોનના હપ્તા ન ભરી છેતરપીંડી અને વિશ્વાસઘાત આચરી ગુનાહીત કાવતરૂ રચી, ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ધંધાની લાલચ આપી ફસાવી આર્થિક રીતે પાયમાલ કરતા ફરીયાદીના પતિને મરવા માટે મજબૂત કરતા જંતુનાશક ઝેરી દવા પી લઇ સારવાર સારવાર દરમિયાન મરણ જતા માર્કેટીંગ યાર્ડ સામે શકિત સોસાયટીમાં રહેતા ગુજરનારના પત્ની દક્ષાબેન સુરાણીએ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ૧) નિલેશ લુણાગરીયા (ર) હિના લુણાગરીયા (૩) જીજ્ઞેશ મનહરલાલ (૪) શનિ જાનમહમદ (પ) ઇન્દુભાઇ ચૌહાણ (ફુલ્લરટોન ફાઇનાન્સ (૬) જયકિશન માણેક (૭) અરવિંદભાઇ પટેલ (૮) પટેલ માતાજી જે.રાધે (૯) અતુલ પટેલ (૧૦) શૈલેષ ભંડેરી (૧૧) કેતન મંડ (એડવોકેટ) સામે ફરીયાદ દાખલ કરાવેલ હતી.

ઉપરોકત આરોપીઓ પૈકી અગ્રગણ્ય બિલ્ડર નિલેશ કાનજીભાઇ લેણાગરીયાના સાથીદાર શનિ જાનમહમદ પ્રમાણીએ રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે રદ કરી હતી.

ઉપરોકત કામમાં મૂળ ફરીયાદી દક્ષાબેન સુરાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા તથા સરકાર તરફે દિલીપભાઇ મહેતા રોકાયેલ હતા.(૪૫.૯)

 

(2:34 pm IST)