Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દીક્ષા પ્રદાતા પૂ. ધીરજમુની મ. સા. ની નમનીય નિશ્રામાં આદિનાથનગરીમાં

દિક્ષાર્થી મોનાલીબેનનો ભવ્ય વિદાયમાન કાર્યક્રમઃ કાલે દીક્ષા મહોત્સવ

રાજકોટઃ બૃહદ્ રાજકોટના આંગણે શ્રી ઈન્દ્રપ્રસ્થનગર અને વૈશાલીનગર સંઘના પ્રાંગણે દીક્ષાપ્રદાતા પૂ. શ્રી ધીરગુરૂદેવની નમનીય નિશ્રામાં આદિનાથનગરીમાં દીક્ષાર્થી મોનાલીબેને કુમકુમ પગલા પાડતા પ્રવેશ કર્યા બાદ પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ.નમ્રમુનિ મ.સા. તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહાસતીજી વૃંદની નિશ્રામાં સંજય શાહે વિદાયમાન કાર્યક્રમની શાનદાર રજૂઆત કરેલ. પરિવારજનોએ માળારોપણ વિધિ કરેલ. પરમ કલ્યાણના બોલ વ્યાખ્યાન સંગ્રહની અર્પણ વિધિ દક્ષાબેન મુકેશભાઈ કામદાર અને રમેશભાઈ શાહ (ઓમાનવાલા) તથા જીવદયાનો ચડાવો લૈલારાનીએ લીધેલ. બપોરે સાંજીમાં હજારો કેશલુંચન કરનારાનું અને વીરડુંગર મહિલા મંડળના પ્રમુખ યોજ્ઞા મહેતાનું સન્માન કરેલ. આવતીકાલે ગુરૂવારે સવારે ૭ થી ૮ શિરામણી રમીલાબેન બેનાણી પરિવાર, રાજપથ, પંચવટી મેઈન રોડથી ૮:૧૫ કલાકે દીક્ષા શોભાયાત્રા, નૂતનનગર થઈને ડુંગર દરબાર પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે દીક્ષા મહોત્સવમાં ફેરવાશે.

(12:51 pm IST)