Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

હત્યાના ગુન્હાના આરોપીઓની જામીન અરજી રદ કરતી અદાલત

રાજકોટ, તા.૧પ : ગત તા.ર૯-૮-ર૦ના રોજ મવડી મેઇન રોડ ઉપર આવેલ અમરનગર-૧ શેરી નં.૧માં આવેલ ફરીયાદી પ્રદીપભાઇ સોલંકીના ઘરે કુલ ૧૬ આરોપીઓ આવી ફરીયાદીના દીકરા રાહુલ પ્રદીપભાઇ સોલંકીને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકાઓ વડે માર મારી તેમજ ઢીકાપાટુનો માર મારી રોડ ઉપર ઢસડી હત્યા નિપજાવેલ.

આ ગુન્હામાં માલવીયાનગર પોલીસે ૧૬ આરોપીની ધરપકડ કરેલ અને જેલ હવાલે રહેલ આરોપીઓ પૈકી વિજય હકો ગંગદાસ રીબડીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમરશીભાઇ સાલાણી, હેમીબેન દેવજીભાઇ પોરડીયા, ભાવનાબેન ઉર્ફે ભાવુબેન મનોજભાઇ જાંજવાડીયા તથા અનીતાબેન મયુરભાઇએ જામીન ઉપર છૂટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીની વિરોધ કરતા જણાવેલ કે આરોપી સામે ખૂનની ગંભીર ગુન્હો છે અને આરોપીઓ હત્યા સમયે તે સ્થળે હાજર હતી તે સીસીટીવી કુટેજમાં દેખાય આવે છે તેમજ બનાવ નજરે જોનાર સાહેદો છે તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી યુ.ટી. દેશાઇએ આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા, મહેશભાઇ જોષી તથા કમલેશભાઇ ડોડીયા રોકાયેલ હતાં.

(3:46 pm IST)