Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શીવરાજ ખાચર પકડાયો

રાજકોટ તા. ૧૫ : શહેરના કુવાડવા વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં સામેલ શખ્સને કુવાડવા રોડ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપી લેવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ઇન્ચાર્જ ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી એસ.આર.ટંડેલની સૂચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.પી.મેઘલાતર, એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ઝાલ, હેડ કોન્સ. હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ, હરેશભાઇ, વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહ, સતીષભાઇ અને મુકેશભાઇ સહિતે શીવરાજ ભીમજીભાઇ ખાચર (ઉ.૩૦) (રહે. નવાગામ આણંદપર મામા વાડી)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:57 pm IST)