Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ભારત બચાવો રેલીમાં રાજકોટ કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓ જોડાયા

રાજકોટ  : કોંગ્રેસ દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી અને બંધારણ પર હુમલાના વિરોધમાં છે. રેલીમાં ભાગ લેવા માટે રાજકોટ સહિત દેશના ખૂણે - ખૂણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા  છે. જે  અન્વયે રાજકોટથી અશોકભાઇ ડાંગર (શહેર કોંગ્રેસ પ્રમુખ), વશરામભાઇ સાગઠીયા (વિરોધ પક્ષના નેતા રાજકોટ મહાનગરપાલિકા), ગાયત્રીબા વાઘેલા (પ્રમુખ-ગુજરાત મહિલા કોંગ્રેસ), જશવંતસિંહ ભટ્ટી (પ્રદેશ આગેવાન), દિનેશભાઇ ચોવટીયા (પ્રદેશ આગેવાન), દિનેશભાઇ મકવાણા (પ્રદેશ આગેવાન), ડો. હેમાંગભાઇ વસાવડા (પ્રદેશ આગેવાન), નિર્મળભાઇ મારું (કોર્પોરેટર વોર્ડ નં. ૧૮), પરસોતમભાઇ સગપરીયા (શહેર આગેવાન), ભરતભાઇ બી. મકવાણા (શહેર આગેવાન), રાજેશભાઇ આમરણયા (ચેરમેન ઓ. બી. સી. વિભાગ), વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ભારત બચાવો રેલીમાં જોડાયા છે. તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)