Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શહેર ભાજપનું સાંજે સ્નેહમિલન : બેન્ડની સૂરાવલીઓ અને આતશબાજીથી કાર્યકરોનું થશે સ્વાગત

રાજકોટ : નવા વિચારો અને નવા સંકલ્પો સાથે નુતન વર્ષના આગમનને વધાવવા અને પરસ્પર શુભેચ્છા પાઠવવા આજે  તા.૧પના સોમવારે સાંજે ૬ વાગ્યે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અઘ્યક્ષ સ્થાને અને રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીરજી ગુપ્તા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણી, અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર તેમજ સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ભાજપ અગ્રણીઓ બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ, ડો. પ્રદિપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, તેમજ કોર્પોરેટરો, શહેર ભાજપના હોદેદારો, મોરચા સેલના કાર્યકર્તાઓ, વોર્ડપ્રમુખ– મહામંત્રીઓ, શિક્ષણ સમિતિ સદસ્યો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં  અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧પ૦ ફુટ રીંગરોડ, એ.પી. પાર્ક સામે, શહેર ભાજપ કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકોનું સ્નેહમિલન યોજવામાં આવેલ છે. અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના અગ્રણીઓએ 'સ્નેહમિલન'  કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આપી રહયો છે. સ્નેહમિલનમાં બેન્ડ, આતશબાજી, રંગોળી, દીવડાઓ, નયનરમ્ય પોસ્ટરો તેમજ કાર્યકર્તાઓનું લાલ કારપેટથી સ્વાગત કરાશે આ તકે અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે રાજુભાઈ ધ્રુવ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, સ્ટેન્ડીગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ,  પરેશ હુંબલ શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, માધવ દવે, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ, નીતીન ભુત, શહેર  ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, જીગ્નેશ જોષી, યુવા ભાજપના પૃથ્વીસિહ વાળા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયા, હાર્દીક બોરડ, જય શાહ, રામભાઈ પટેલ સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:50 pm IST)