Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ત્રિકોણબાગ પાસેથી બેભાન મળેલા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધ

પરિચીત હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૫: ત્રિકોણબાગ નજીક ભારત બેકરી પાસેથી અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ ફૂટપાથ પરથી બેભાન-બિમાર મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકે કબુતરી કલરનું પેન્ટ પહેર્યુ છે. શર્ટ પહેર્યો નથી. માથે કાળા સફેદ વાળ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરીચીત, વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ જે. એમ. ભટ્ટ વધુ તપાસ કરે છે.

(12:15 pm IST)