Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પ્રજાના પ્રશ્નો નિવારવા પોલીસ દ્વારા ર૦મીએ લોક દરબાર

ભકિતનગર, આજી ડેમ અને થોરાળા પોલીસ મથકમાં લોકોના પ્રશ્નો અને અરજીનુ નિરાકરણ કરાશે

રાજકોટ તા. ૧પ :.. શહેર પોલીસ દ્વારા પ્રજાના પ્રશ્નોના નિરાકણ માટે પૂર્વ વિભાગના ત્રણ પોલીસ મથકમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી રવી મોહન સૈની સુચનાથી પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ભકિતનગર, આજી ડેમ અને થોરાળા પોલીસ મથકમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક દરબાર તા. ર૦-૧૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે શરૂ કરવામાં આવશે. જેમાં ત્રણેય પોલીસ મથકમાં ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ હાજર રહેશે અને અરજદારોની અરજીનું નિરાકરણ કરવામાં આવશે.

(3:25 pm IST)