Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દોઢ વર્ષથી ગુમ અનિલભાઇ પટેલને પોલીસે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ તા.૧૫: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી દ્વારા શહેરમાંથી ગુમ થયેલા યુવક-યુવતી તથા વૃદ્ધોને શોધવા માટેની સુચના આપતા ભકિતનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ વિજેન્દ્ર સિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગુમ થનાર અનિલભાઇ બાબુભાઇ ભુવા (ઉ.વ.૩૮) (રહે. નંદાહોલ પાછળ જુનુ ખોડીયાર -ર/૩) ને યુ.પી.થી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ગુમ થનાર અનિલ માનસિક અસ્થીરતાના કારણે દોઢ વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ લાપતા થઇ ગયા હતા. બાદ પરિવારજનોએ તેની શોધખોળ કરી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા જ ેતે વખતે ભકિતનગર પોલીસ મથકમાં ગુમની નોંધી કરાવી હતી. દોઢ વર્ષ બાદ અનિલભાઇ યુ.પી.થી હેમખેમ મળી આવતા તેની માતા તથા ભાઇ સહિતના પરિવારજનોએ હર્ષની લાગણી અનુભવી હતી.

(2:34 pm IST)