Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

હૃદયરોગ નિષ્ણાત ડો.મિહિર તન્નાના હસ્તે અનાજકીટ વિતરણ

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણનો પ્રારંભ દાતા, ગૌભકત અંકિત એસ્ટેટવાળા દિલીપભાઈ સોમૈયાના હસ્તે થયો હતો. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.મિહિરભાઈ તન્ના, ડો.જયેશભાઈ ભાનુસાલી, આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઈ ભીમાણી, ધવલભાઈ ઈશ્વરભાઈ ખખ્ખર, લાફીંગ કલબ રેસર્કોસવાળા જયંતીભાઈ માંડલિયા, રાજુભાઈ બુધ્ધદેવ, લોહાણા સેવા મંડળના ચેરમેન નટુભાઈ કોટક, કે.ડી.કારિઆ, એડવોકેટ અભીસેકભાઈ કકકડ, આદર્શ મંડપવાળા કનૈયાલાલ કુકરેચા, દીપકભાઈ કારિઆ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમામ લાભાર્થીઓને દિલીપભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ નથવાણી, નીકિતાબેન નથવાણી, પૃથ્વીસિંહજી જાડેજા (ઘોઘુભા), રાજુભાઈ ગાંધી, કિરણબેન પુજારા, છોટાલાલ લાધાભાઈ રાજવીર ચેરી. ટ્રસ્ટ હસ્તે કિરીટભાઈ રાજવીર, ભાવેશભાઈ વડેરા, કમલભાઈ પોબારૂ તથા આર.એસ. બાવીસી પરિવારનો સહયોગ મળેલ.

દાતા દિલીપભાઈ સોમૈયા, ડો.મિહિરભાઈ તન્ના, લાફીંગ કલબના ચેરમેન જયંતીભાઈ માંડલિયા તેમજ કરવેરાના સલાહકાર ધવલભાઈ ખખ્ખર તરફથી દિવાળી નિમિતે તા.૩૧ના રવિવારે તમામ લાભાર્થીઓને મીઠાઈ તેમજ ફરસાણ / નમકીનની કીટ ઉપરોકત અનાજની કીટ ઉપરાંત આપવામાં આવશે.

કાર્યક્રમની સફળતા માટે નવા વરાયેલા ટ્રસ્ટીઓ ધૈર્યભાઈ રાજદેવ, રોહિતભાઈ કારિઆ, ગોરધનભાઈ લાલસેતા, કિશોરભાઈ પારેખ તથા કાર્યકરો મનુભાઈ ટાંક, માયાબેન ગોહેલ, દેવાંગભાઈ શેઠ, દિનકરભાઈ રાજદેવ, મનીષભાઈ વસાણી, રત્નાબેન મહેશ્વરી, પ્રવીણભાઈ ગેરિયા સહિતના અસંખ્ય કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી

(3:21 pm IST)