Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

તું કાળી ને કલ્યાણી રે મા.... જ્યાં જોવું ત્યાં જોગમાયા...

શ્રી ધારેશ્વર મહોત્સવ સમિતિ : શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલ સુપ્રસિધ્ધ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં છેલ્લા ૬૦ વર્ષથી આસો નવરાત્રીનું ખૂબ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે શ્રી ધારેશ્વર મહોત્સવ સમિતિ આયોજીત ગરબી મંડળમાં ૫૫ બાળાઓ ભુવા રાસ, દિવડા રાસ, ટીપ્પણી રાસ, તાલી રાસ, આ તો મારા માડીનો રથનો રણકાર... સહિતના રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળમાં સાજિંદા વૃંદમાં શ્રી દિનેશભાઇ જોષી, નિતાબેન, તેજસભાઇ, દિનેશભાઇ ત્રિવેદી, મનોજભાઇ, ધર્મેન્દ્રભાઇ દવે સહિતના સેવા આપે છે. ગરબી મંડળના ભવ્ય આયોજનને દિપાવવા પ્રમુખશ્રી અશોકસિંહ રાઠોડ, ઉપપ્રમુખ દિનેશભાઇ ત્રિવેદી, અભિષેકભાઇ પોપટ, પ્રદિપભાઇ ત્રિવેદી, ધર્મેન્દ્રભાઇ દવે, દિપેનભાઇ સોમૈયા, સંદિપભાઇ સીસોદીયા, ભરતભાઇ ભૂત સહિતના સેવા બજાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની રમઝટ બોલાવતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:16 pm IST)