Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઉદયનગરના ઇન્દ્રેશનું કાંગસીયાળી પાસે ક્રેઇન પર વેલ્ડીંગ કરતી વખતે પટકાતાં મોત

રાજકોટ તા. ૧૫: મવડી રોડ ઉદયનગર વિશ્વેશ્વર મંદિર પાસે રહેતો ઇન્દ્રેશ રાકેશભાઇ ગોૈતમ (ઉ.૨૭) નામનો મુળ યુ.પી.નો યુવાન સાંજે સાડા ચારેક વાગ્યે ગોંડલ રોડ કિસાન પંપ નજીક કાંગસીયાળીમાં પ્રશાંત કાસ્ટીંગ પાસે ક્રેઇન પર ચડી વેલ્ડીંગ કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. બનાવથી મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:40 pm IST)