Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

એરપોર્ટ કર્મચારી વાળંદ યુવાન, મિસ્ત્રી વૃધ્ધ અને રજપૂત મહિલાના બેભાન હાલતમાં મોત નિપજ્યા

ચંપકનગર, કૃષ્ણનગર અને ન્યુ લાલબહાદુર સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૧૫: જુદા-જુદા બનાવમાં બેભાન હાલતમાં એરપોર્ટના કર્મચારી વાળંદ યુવાન તથા મિસ્ત્રી વૃધ્ધ અને રજપૂત મહિલાએ દમ તોડી દીધો હતો.

પાણીના ઘોડા પાસે ચંપકનગર-૪માં રહેતાં અને એરપોર્ટમાં નોકરી કરતાં વાળંદ વિજયભાઇ હિમતભાઇ દસાડીયા (ઉ.૪૨)ને સવારે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં નવલનગર-૩માં રહેતાં દિલીપભાઇ મોહનભાઇ પીપળીયા (મિસ્ત્રી) (ઉ.૭૦) નામના વૃધ્ધને બ્લડપ્રેશર સહિતની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

ત્રીજા બનાવમાં ઢેબર રોડ ન્યુ લાલબહાદુર સોસાયટી-૩માં રહેતાં ભારતીબેન દિનેશભાઇ ખેર (રજપૂત) (ઉ.૪૪)ને સવારે હાર્ટએટેક આવી જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતદેહને અંતિમવિધી માટે વતન સુરેન્દ્રનગર લઇ જવાયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે ત્રણેય બનાવમાં યુનિવર્સિટી પોલીસ, માલવીયાનગર પોલીસ અને ભકિતનગરમાં જાણ કરી હતી.

(4:48 pm IST)