Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પારડી ગામે બિમારીથી કંટાળી રમેશભાઇ રાઠોડનો આપઘાત

રાજકોટ તા.૧૫: શાપર-વેરાવળના પારડી ગામે દલીત યુવાને બિમારથી કંટાળી આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ-રાજકોટ હાઇવે પર પારડી ગામ પાસે આવેલ રામપાર્ક સોસાયટીમાં રહેતા દલીત રમેશભાઇ નરસીભાઇ રાઠોડ (ઉ.વ.૩૭) એ પોતાના ઘરે છતની હુકમાં દોરડા વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એએસઆઇ નાથાલાલ રાઠોડ દોડી ગયા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાન કડીયા કામ કરતો હતો અને કમરની બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હતું.

લોધીકા તાલકુાના પારડી ગામે આવેલ રામ પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઇ નરશીભાઇ રાઠોડ ઉ.વ.૩૭ પોતાના ઘરે બિમારી થી છતના હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાલ જતાં મોત નિપજયું હતું. આગળની તપાસ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના એએસઆઇ એન.બી. રાઠોડ ચલાવી રહયા છે.

(3:16 pm IST)