Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

નિવૃત શિક્ષિકાબેન ૮૦ વર્ષની ઉંમરે એડવોકેટ બન્યા

બાર કાઉન્સીલે સનલ માટેની અરજી મંજુર કરી

રાજકોટ,તા. ૧૫: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના અગાઉની ટર્મના એનરોલમેન્ટ કમિટીના ચેરમેન શ્રી નલીન ડી. પટેલ તથા સભ્ય શ્રી ભરત વી. ભગત એક અખબારીયાદીમાં જણાવે છે કે, જાનકીબેન લાખાણી નામના ૮૦ વર્ષની ઉંમરના અરજદાર કે જેઓ શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને તેઓ ૧૯૯૯મા નિવૃત થયેલ. તેઓએ સને ૧૯૭૨ થી ૧૯૮૭ દરમિયાન એલ.એલ.બીનો અભ્યાસ કરેલ હતો.

 અને તેમણે આટલી મોટી ઉંમરે સનદ લેવાની ઇચ્છા ધરાવતા હોવાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમા સનદ માટે અરજી કરેલ હતી

તા. ૫/૯/૨૦૨૦ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એનરોલમેન્ટ કમિટી દ્વારા તેમની સનદ માટેની અરજી મંજુર કરવામાં આવેલ છે અને તેમને વકીલાત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે.

(3:02 pm IST)