Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સોમનાથ સોસાયટીમાં રહેતાં યશપાલ જોષીની ઘરમાંથી કોહવાયેલી-લટકતી લાશ મળી

મૃતકને નશો કરવાની ટેવ હતીઃ એકલો જ રહેતો હતોઃ બે-ત્રણ દિવસ પહેલા આપઘાત કરી લીધાની શકયતાઃ દૂર્ગંધ આવતાં તપાસ કરતાં લાશ જોવા મળી

રાજકોટ તા. ૧૫: ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ કિડવાઇનગર-૧ની સામે સોમનાથ સોસાયટીમાં રહેતાં યશપાલભાઇ મનોજભાઇ જોષી (ઉ.૩૫) નામના બ્રાહ્મણ યુવાનની તેના ઘરમાંથી લટકતી, કોહવાયેલી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ઘર બે-ત્રણ દિવસથી બંધ હોઇ અંદરથી દૂર્ગંધ આવતાં પડોશીઓએ તપાસ કરી હતી અને ૧૦૮ને તથા પોલીસને જાણ કરી હતી. અંદર તપાસ થતાં યશપાલભાઇ જોષીએ પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધાનું જણાયું હતું. લાશમાં જીવાત પડી ગોઇ બે-ત્રણ દિવસ પહેલા તેણે આ પગલું ભરી લીધાનું જણાયું હતું.

આપઘાત કરનારના માતા-પિતા હયાત નથી. તે એકલો જ રહેતો હતો અને નશો કરવાની ટેવ હોવાનું પણ પોલીસને આસપાસમાંથી જાણવા મળ્યું હતું. એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભર્યાની શકયતા છે. ગાંધીગ્રામના પીએસઆઇ પી. એ. કોટક અને પ્રદિપભાઇ કોટકે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

(12:21 pm IST)