Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

બાલમુકુંદ પ્લોટમાં ગણપતિ બિરાજમાનઃ સવાર- સાંજ મહાઆરતી

રાજકોટઃ આ વર્ષે ગ્રિન- સીટી કલબ દ્વારા ગણેશોત્સવનું આયોજન ૫- સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં કરવામાં આવેલ છે. આ આયોજન જે પહેલા બાલમુકુંદ પ્લોટમાં કરવામાં આવતુ હતુ. તેનું સ્થળાંતર કરેલ છે. જેની દરેક ભકતજનોએ નોંધ લેવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શશીભાઈ બાટવીયા, દિપકભાઈ શાપરીયા, સુનીલભાઈ બાબરીયા, અજયસિંહ વાઘેલા તેમજ વિજયભાઈ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ વલ્લભભાઈ દુધાત્રા, બકુલભાઈ જાની, ભાર્ગવ બાબરીયા, કાંતીકાકા, પાટીભાઈ જતીન જાદવ, વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. દરરોજ સવારે ૮ વાગે અને સાંજે ૭:૩૦ સમુહ આરતીનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ અપાયુ છે.

(4:07 pm IST)