Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

પર્વાધિરાજની સંગે સિદ્ઘત્વ, બુદ્ઘત્વ,મુકતત્વને પ્રાપ્ત કરીએ : પર્યુષણ પર્વ ઉજવવાનો નહીં અનુભવવાનો વિષય હોય છે : પૂ. નમ્રમુની મ.સા.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાનિધ્યે દેશ - વિદેશના હજારો ભાવિકોએ પર્વાધિરાજ પર્વના ભકિતભાવે વધામણાં કર્યા

રાજકોટ : સંસારના હાથમાં ડોર આપીને પતંગ બનીને અનેક પર્યુષણ ઉજવી લીધાં હવે સંસારથી કટ ઓફ થઈને પક્ષી બનીને અધ્યાત્મના આકાશમાં ઉંચે ઉંચે ઉડીએ. ઊંડા ઊંડા ચિંતનમાં ગરકાવ કરી દેતો આવો માર્મિક સંદેશ આપીને રાષ્ટ્રસંતપરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે અત્યંત ભકિતભાવથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના મંગલ સ્વાગત વધામણા કરાવ્યાં હતાં.

વર્તમાન સમયમાં ધર્મક્ષેત્રમાં જઈને પર્વાધિરાજ પર્વની આરાધના કરવું જ્યારે સંભવ નથી ત્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની દીર્દ્યદ્રષ્ટિ અને કૂનેહથી આયોજિત કરવામાં આવેલાં પર્વાધિરાજ પર્વન   Online આરાધના મહોત્સવ દ્વારા કોરોના માહામારીએ આપેલી પ્રતિકૂળતાને પણ મહાત આપવામાં આવી છે. Online આરાધના આ મહોત્સવમાં મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ ભારત અને ઉત્ત્।રભારતના મળીને ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંદ્યોની સાથે અમેરિકા, લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા, અબુધાબી, સિંગાપોર, મલેશિયા, સુદાન, આદિ અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં હતાં.

અત્યંત અહોભાવ સાથે સુંદર પ્રાર્થનીય ભાવોની અભિવ્યકિત કરીને પર્વાધિરાજ પર્વનું સ્વાગત કર્યાં બાદ પર્વના પ્રથમ દિવસનો અમૂલ્ય બોધ આપતાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે ફરમાવ્યું હતું કે અન્યના હાથમાં પોતાની ડોર આપીને ઊંચે ઊંચે આકાશમાં ઉડતી પતંગક કેઈ ક્ષણે કપાઈને નીચે આવી જતી હોય છે તે નક્કી નથી હોતું. એવી જ રીતે વર્ષોના વર્ષો સુધી સંસારના હાથમાં આપણી ડોર આપીને આપણે પર્યુષણની ઉજવણી કરતાં આવ્યાં છીએ પરંતુ હવે સંસારથી કટ ઓફ થઈને એક પક્ષીની જેમ આપણે ધર્મના - આધ્યાત્મના આકાશમાં ઊંચી ઊંચી ઉડાન ભરવાની છે. વર્ષોના વર્ષો સુધી આપણે સંતોના મુખેથી માત્ર પ્રવચનનું શ્રવણ કરીને એક પતંગ બનીને રહી ગયાં છીએ. પરંતુ હવે આપણાં અંતરના અવાજને સાંભળતાં સાંભળતાં ચિંતનમાં ગરકાવ બનીને ઊંચી ઊંચી મંઝિલને પામવાની છે. હવે સંતોને નહીં, સ્વયંને સાંભળીએ. ચંદન જેવી અમૂલ્ય પર્વાધિરાજ પર્વની સાધના - આરાધનાને આપણે કોલસાની જેમ વેડફી નથી દેવી.

થોડુંક વિચારીએ...ચિંતન કરીએ, પર્વાધિરાજ તે માત્ર ઉજવણીનો વિષય નથી પરંતુ અંતરથી અનુભવવાનો વિષય છે. પર્વાધિરાજની કોઈ પ્ય્ભ્ નથી હોતી, પર્વાધિરાજ અમૂલ્ય છે.

અત્યાર સુધી પ્રભુએ દર્શાવેલી જે જે આજ્ઞાઓનું આપણે અવમૂલ્યન કરતાં આવ્યાં છીએ તે જ આજ્ઞાઓ આજે કોરોનાના સમયમાં જીવન માટે જરૂરી બની ગઈ છે. માટે જ, આજે જગતના દરેક લોકોના મુખ પર મુખવસ્ત્રિકા આવી ગઈ છે.

આજે જે નગણ્ય લાગતું હોય આવતીકાલે તે જ આપણાં માટે મૂલ્યવાન બનતું હોય છે. આજે જે હર્ટ કરતાં હોય, બની શકે કે આવતીકાલે તે ઉપયોગી પણ બની શકે. આપણે કોઈનું અવમૂલ્યન નથી કરવું.

વિશ્વમાં, આજના સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના અનન્ય રાષ્ટ્રપ્રેમના દર્શન થયાં જયારે, કોરોના મહામારી સામે લડતાં-લડતાં શહીદ થયેલાં ડોકટર્સ, સફાઈકર્મી , પોલીસકર્મી આદિને ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતું. પરમ ગુરૂદેવ દ્વારા સુંદર ગીતને વિભિન્ન ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું. અહોભાવથી શબ્દાંજલિ સાથેના આ ગીતના શબ્દો તને જોઈ જોઈ ઝુકી સાંભળીને સહુની આંખ અહોભાવથી ભીંજાઈ ગઈ હતી.

આ અવસરે પૂજયશ્રી પરમ પાવનતાજી મહાસતીજીએ ઐતિહાસિક દ્યટનાઓના ઉદાહરણ સાથે દરેક પરિસ્થિતિમાં પાઙ્ખઝિટિવ રહીને માત્ર હિસ્ટ્રી રીડર નહીં પરંતુ હિસ્ટ્રી મેકર બનવાનો સુંદર બોધ આપ્યો હતો. એ સાથે જ, રાજકોટ રોયલપાર્ક સંદ્યથી પૂજય શ્રી અજિતા બાઈ મહાસતીજીએ પણ પ્રેરણાત્મક બોધ આપીને સહુને બોધિત કર્યા હતાં.

કોરોના મહામારી આધારિત ખૂલી આંખો કા સપના નાટિકાની પ્રસ્તુતિ ઉપરાંત રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં પ્રભુ છે મેરે સખા, બન્ના મુજે પ્રભુ સરીખા ભાવયાત્રા કરાવતાં હજારો ભાવિકો એક અનોખી દિવ્યતામાં સરી પડ્યા હતા.

પર્વાધિરાજ પર્વના પ્રથમ દિનની વહેલી પ્રભાતે પરમ ગુરુદેવનાં શ્રીમુખેથી આત્મશુધ્ધિના અનોખા પ્રયોગ સ્વરૂપ કરાવવામાં આવેલી ઇનર કલીનિગ કોર્ષ અંતર્ગત દેહ ભિન્ન ચૈતન્ય ભાવો પરની ધ્યાન સાધના સહુને એક અનેરી આત્મ હળવાશની અનુભૂતિ કરાવી ગઈ હતી.

પરમ ગુરુદેવના બૃહ્મનાદે કરાવવામાં આવેલી મંત્ર સાધના તેમજ વિખ્યાત ગાયક કલાકાર હાર્દિકભાઈએ કરાવેલી ભકિત સ્તવન હજારો ભાવિકોને પ્રભુ ભકિતના રંગે રંગી ગઈ હતી. પર્વાધિરાજ પર્વના આઠ દિવાસના શ્રી સંધપતિ સ્વરૂપે મુંબઇ - સાયન ધર્મ વત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવારે લાભ લઈને હજારો ભાવિકો માટે ધર્મશ્રવણનું નિમિત્ત્। બન્યાં હતાં.

(3:21 pm IST)