Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવવા લોકભાગીદારી અનિવાર્ય : જયેશભાઇ રાદડિયા

રાજકોટના જિલ્લા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી સંપન્ન થઇ છે : રાજકોટ જિલ્લાના ર૦૦ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા

રાજકોટ : તા.૧પ મી ઓગસ્ટ-ર૦ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસ્થાને શાનદાર રીતે થઇ હતી. મંત્રી એ ધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાન રજુ થયું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા પરેડનું નિરીક્ષણ કરાયું હતું.

મંત્રી જયેશભાઇ રાદડિયાએ આપણા વિર શહિદ જવાનોને સ્મરાંણજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદીમાં અનેક મહાપુરૂષોનું યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના સૌ મહાપુરૂષોએ ભવ્ય અને દિવ્ય ભારતનું સપનું જોયું હતું.

(1:39 pm IST)