Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રાજકોટમાં શૈલેષભાઇ સોરઠીયાનો ગેલેકસી સિનેમા પાસે ફૂટપાથ પર આપઘાતઃ રેલ્વે કોલોનીમાં બ્રાહ્મણ વૃધ્ધાએ જિંદગી ટૂંકાવી

આપઘાતના બે બનાવમાં સિલ્વર સ્ટોન સોસાયટીના શૈલેષભાઇ જેરામભાઇ સોરઠીયા (ઉ.૪૪)એ મોડી રાત્રે ગેલેકસી સિનેમા નજીક ફૂટપાથ પર ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં રેલ્વે લોકો કોલોનીના કુંવરબેન ગોકળભાઇ ગેરીયા (ઉ.૬૦) નામના બ્રાહ્મણ વૃધ્ધાએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:01 pm IST)