Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલનાયક ડોલરભાઇ વસાવડાનું નિધન

રાજકોટ, તા. ૧પ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રો. વાઈસ ચાન્સેલર ડોલરભાઈ વસાવડાનું ગઈકાલે અમદાવાદ માં અવસાન થયેલ છે.

ભાવનગર જિલ્લાના મહુવાના વતની ડોલરભાઈ વસાવડા મહુવા અને ભાવનગરમાં સિનિયર ધારાશાસ્ત્રી તરીકે કાર્યરત હતા. વસાવડા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રો. વાઈસ ચાન્સેલર (ફૂલનાયક) તરીકે ૧/૫/૧૯૭૬ થી તા૭/૬/૧૯૭૮ સુધી જવાબદારી નીભાવી હતી. વસાવડા ભાવનગર યુનિવર્સિટીમાં તા.૨૬/૧૧/૮૭ થી તા.૨૨/૩/૧૯૮૯ સુધી કુલપતિ તરીકે કાર્યરત રહેલ હતા. વસાવડા ગુજરાતભરમાં વેચાણવેરા ના કાયદા નાઙ્ગ અભ્યાસુ ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી હતી. તેથી ગુજરાત સરકારે ગુજરાત સેલ્સટેકસ ટ્રીબ્યુનલ માં મેમ્બર અને ચેરમેન તરીકે બે ટર્મ જવાબદારી સોંપવામાં આવેલ હતી.વસાવડાના નિધનથી શૈક્ષણિક વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે.

(4:14 pm IST)