Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

એસટીના ૯ અધિકારીઓની બદલી : રાજકોટના નવા ડીટીઓ તરીકે કરોતરા : રાજકોટના પટેલ પાલનપુરમાં

રાજકોટ તા. ૧૫ : એસટી બોર્ડ દ્વારા ગઇકાલે સાંજે રાજકોટના એક સહિત કુલ ૯ અધિકારીઓની બદલી કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ૯ ડિવીઝનલ ટ્રાફિક કન્ટ્રોલરના ઓર્ડરમાં રાજકોટના એસ.એ.પટેલને પાલનપુર, જામનગરના ડેપો મેનેજર આઇ.એ.શેખને અમદાવાદ, ભાવનગરના જે.વી.ઇસરાનીને જામનગર મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત જુનાગઢના એમ.જે.બરંડાને અમદાવાદ, અમદાવાદના જી.પી.રાઠોડને મહેસાણા, મહેસાણાના પી.જી.પીઠડીયાને અમદાવાદ, સેન્ટ્રલ કચેરીના શ્રીમતિ ભટ્ટને સેન્ટ્રલ કચેરી - પરિવહનમાં, પાલનપુરના જે.બી.કરોતરાને રાજકોટ - ડીટીઓ અને અમદાવાદના એસ.કે.કલોલા - નરોડામાં મૂકાયા છે.

(11:29 am IST)