Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દાઉદી વ્હોરા સમાજના આગેવાનોની રામભાઇ મોકરીયા સાથે મુલાકાત

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના આગેવાનોએ રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા સાથે મુલાકાત લઇ જણાવ્યુ કે અમારા ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદુલ સાહેબ (ત.ઉ.શ.) વૈશ્વિક મહામારી કોરોના સામે રક્ષણ આપતી કોરોનાથી રસીનો ડોઝ લેવા માટે સમગ્ર દાઉદી વ્હોરા સમાજને તા.૧૯ જુલાઇ સુધીમાં દરેક દરેક ગામ-શહેરના લોકોને ડોઝ લઇ લેવાનું ખાસ ફરમાન કરેલ હોય આ બાબતે રાજકોટના આમલ સાહેબ જનાબ મુસ્તફાભાઇ સાહેબે રાજકોટની તમામ જમાતના તથા દરેક મોહલ્લાના આમીલ સાહેબો સાથે ઓનલાઇન વેબીનારનું આયોજન કરી દરેકને વેકસીનનો ડોઝ  જે લોકોએ ન લીધેલ હોય તેઓ તુરત જ લઇ લેવા જણાવ્યુ હતુ. આના પ્રતિસાદ દાઉદી વ્હોરા સમાજના લોકો વેકસીનનો ડોઝ મોટી સંખ્યામાં લઇ રહયા છે. આ બાબત જાણી શ્રી રામભાઇ મોકરીયાએ ઘણી જ ખુશી વ્યકત કરી ને  જણાવ્યુ કે આ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાણ કરશે. રાજકોટ દાઉદી વ્હોરા સમાજના શેખ યુસુફભાઇ જોહરકાર્ડસવાલા, શાકીરભાઇ સાદીકોટ, અસગરભાઇ વંથલીવાલા, અબ્બાસભાઇ ત્રવાદી, જુઝરભાઇ ભારમલ, શબ્બીરભાઇ કાચવાલા ઉપસ્થિત રહયા હતા.

(3:18 pm IST)