Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બેભાન હાલતમાં ચંદુભાઇ મકવાણા અને બટુકભાઇ મજેઠીયાના મોત

રાજકોટ તા. ૧૫: ચુનારાવાડ-૪માં રહેતાં ચંદુભાઇ કરસનભાઇ મકવાણા (ઉ.૪૫) નામના કોળી આધેડ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક છ ભાઇ અને એક બહેનમાં વચેટ તથા અપરિણીત હતાં. તેમને ટીબીની બિમારી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. એમ. પી. ચરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ભગવતીપરા નંદનવન સોસાયટી-૩માં રહેતાં બટુકભાઇ નાથાભાઇ મજેઠીયા (ઉ.૫૫) રાત્રે નવેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. આર. રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:05 pm IST)