Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન

રાજકોટ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શ્રમતિ રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગારડી ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા સંસ્થા પરિવારના ધોરણ ૧૦ અને ૧૨ ના માર્ચ-૨૦૧૮માં લેવાયેલ પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ૩૫ તેજસ્વી તારલાઓનો છાત્ર સત્કાર સમારંભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરી દવેના અધ્યક્ષ સ્થાને ઢોલરા ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરના શિક્ષણ જગતના મહાનુભાવો ડો. રશ્મિકાંત મોદી, ડી.વી. મહેતા, ડી.કે. વાડોદરીયા, નિરેનભાઇ જાની, જાણીતા ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા વિશેષ ઉપસ્થિત રહેલ. મહેમાનોનું શબ્દોથી સ્વાગત સુનીલ વોરા એ કરેલ. મહેમાનોનો પરિચય, કાર્યક્રમની પૂર્વભૂમિકા અને સંસ્થા પરિચય મુકેશ દોશીએ આપેલ. સરસ્વતી વંદના દીપ પ્રાગટય ડો. નિલાંબરીબેન દવે સહિતન અતિથિઓએ કરેલ. કાર્યક્રમનું સંચાલન ડો. ભાવનાબેન મહેતાએ અને આભારવિધિ અનુપમ દોશીએ કરી હતી. સમગ્ર આયોજનની સફળતા માટે નલિન તન્ના, ડો. હાર્દિક દોશી, અલકાબેન વોરા, રૂપા વોરા, પ્રિતી વોરા, કાશ્મીરા દોશી, ડો. દિપક પારેખ, અશ્વિનભાઇ પટેલ વગેરે કાર્યરત રહેલ હતા. તે પ્રસંગ ની તસ્વીર.

(4:45 pm IST)