Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

શ્રી રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલયનું ભૂમિપુજન : મેગેઝીનનું વિમોચન

રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની ખાસ ઉપસ્થિતી

રાજકોટ તા ૧૫ : રાષ્ટ્રીયવ્યાપી ્ક્ષત્રીય યુવાનોના સબળ સંગઠન શ્રી રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્ર-ઝોનના મધ્યસ્થ કાર્યાલયનું ભૂમિપુજન શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહીપાલસિંહજી મકરાણાના હસ્તે કરાયું હતું કાલાવડ રોડ પરના એ.જી.ચોકથી પુષ્કરધામ રોડ પર પ્રદ્યુમન-વિલા બંગલોઝની સામે યોજાયેલ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય રાજપુત યુવા સંઘના અધ્યક્ષ પી.ટી.જાડેજા, રાજકોટ જિલ્લા રાજપુત સમાજના નરેન્દ્રસિંહજી જાડેજા (અકીલા) શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલનાં અગ્રણી દેવતસિંહજી જાડેજા, ઉપરાંત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ જે.પી.જાડેજા, ગુજરાત પ્રવકતા ક્રિપાલસિંહ ઝાલા તથા રાજસ્થાનથી પધારેલા અને કરણી સેનાના રાષ્ટ્રીય પ્રભારી પ્રહલાદસિંહ (ખીચી), ગુજરાત પ્રભારી શૈતાનસિંહ (લુણસરા), ગુજરાત સંરક્ષક મેઘસિંહજી (ચિંચડોલી) ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ લક્કીરાજસિંહ ઝાલા, સુર્ય સેનાના સત્યેન્દ્રભાઇ ખાચર, રાજકોટ શહેર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા વગે.રે ઉપસ્થિત બહ્યા હતા.

રાજકોટ શહેરના સંરક્ષક રણજીતસિંહ જાડેજા દ્વારા આ કાર્યાલય માટે જગ્યાનો સહયોગ મળતા તેઓનું પણ આ તક ેસન્માન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ જે.પી.જાડેજા દ્વારા  સંપાદીત ક્ષત્રિય સમાજના મેગેઝીન '' ક્ષાત્રવટ' નું અગ્રણીઓ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર વગેરે શહેરોમાંથી કરણી સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ શહેર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતુ તેમ સૌરાષ્ટ્ર પ્રમુખ જે.પી.જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(4:16 pm IST)