Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાજકોટમાં 18 થી ૪૪ વર્ષના લોકોને વેકસીન લેવા માટેના રજીસ્ટ્રેશનની સાઈટ સાંજે ૫ વાગ્યે ખુલ્લશે: મ.ન.પા. તંત્રની સતાવાર જાહેરાત

કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ લેવાનો રહેશે

રાજકોટ:  શહેરમાં ચાલી રહેલી વેકસીનેસનની કામગીરી અંતર્ગત જે લોકોએ કોવિશિલ્ડ વેકસીન લીધી છે તેમને વેકસીનનો બીજો ડોઝ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન (પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ) લેવાનો રહેશે.

હાલ ચાલી રહેલા ૧૮ થી ૪૪ વર્ષના લોકોના વેકસીનેસન માટે હવેથી સાંજે ૦૫:૦૦ કલાકે દરરોજ સેસન સાઈટ જનરેટ કરવામાં આવશે. હાલ 50 સ્થળોએ વેક્સીનેશન સેન્ટર કાર્યરત છે.
અગાઉ સવારે ૧૦:૦૦ કલાકે જનરેટ કરવામાં આવતી હતી જે હવેથી સાંજે ૦૫:૦૦ વાગ્યે જનરેટ કરવામાં આવશે.

(8:42 pm IST)