Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વોર્ડ નં.૩માં નરસંગપરામાં પી.આઈ. ગડુ દ્વારા અનાજકીટ વિતરણ

રાજકોટ : શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસતંત્ર દિવસ - રાત જહેમત ઉઠાવી સરાહનીય કામગીરી કરી રહ્યુ છે તો જરૂરીયાતમંદોની સેવામાં પણ અગ્રેસર રહે છે. દરમિયાન શ્રી ઓમ સાંઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નં.૩ના નરસંગપરામાં જરૂરીયાતમંદોને અનાજ કીટ વિતરણ ટ્રાફીક પોલીસ પી.આઈ. શ્રી ગડુના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે આ વોર્ડના કોર્પોરેટર શ્રી દિલીપભાઈ આસવાણી અને તેની ટીમ વિતરણ કાર્યમાં સતત સાથે રહી હતી.

(3:00 pm IST)