Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બેભાન હાલતમાં રૂપાબા ગોહિલ અને મીનાબેન કાછેલાના મોત

શિવનગર અને અલ્કા સોસાયટીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૫: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર-૧માં રહેતાં રૂપાબા કનુભા ગોહિલ (ઉ.વ.૫૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

મૃત્યુ પામનારના પતિ કનુભા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. રૂપાબાને કેન્સર થયું હોઇ તેના કારણે બિમાર રહેતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અન્ય બનાવમાં મવડી પ્લોટ અલ્કા સોસાયટીમાં રહેતાં મીનાબેન મનોજભાઇ કાછેલા (ઉ.વ.૫૩) બિમારીથી રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવની હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(1:16 pm IST)