Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોનામાંથી માનવજીવને ઉગારો...દાઉદી વ્હોરા પરિવારજનોની મોટી રાતની ઘરે બેઠા ઉજવણી

જામનગર રોડ વ્હોરા સોસાયટીના પરિવારજનોએ આખી રાત ઇબાદત કરી

દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન માસ અંતર્ગત ગઇકાલે ૨૩મી રાતની ઘેર બેઠા ઉજવણી કરવામાં આવી હતી. સાથો સાથ ૫૩મા દાઇ સૈયદ મુફફદ્દલ સૈફુદ્દિન સાહેબનો ૭૭મો જન્મદિવસ પણ હોઇ તેની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે આખી રાત જાગરણ કરી બંદગી કરવામાં આવે છે. હાલમાં કોરોનાને કારણે લોકડાઉન હોઇ ઘરે રહીને ઇબાદત કરવામાં આવી હતી. જામનગર રોડ વ્હોરા સોસાયટીમાં ઇબ્રાહીમ સોની, ફખરૂદ્દીનભાઇ ઇઝઝી તથા ઘરના સભ્યોએ કોરોનાનો ઝડપથી ખાત્મો થઇ જાય અને માનવ જિંદગી ફરીથી ખુશખુશાલ થઇ જાય તે માટેની બંદગી પણ કરવામાં આવી હતી.

(1:15 pm IST)