Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કર્ણાટકમાં કોંગ્રેસને જાકારો, ભાજપ ખીલી ઉઠયુઃ ભંડેરી- ભારદ્વાજ

રાજકોટ,તા.૧૫: ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપના અગ્રણી નિતીન ભારદ્વાજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને આવકારતા જણાવ્યું હતું કે કર્ણાટકમાં લોકચુકાદો ભારતીયજનતા પાર્ટીની તરફેણમાં આવ્યો છે, કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના આ વિજયથી એવું ફલિત થાય છે કે ભારતનો રાજકીય નકશો બદલાઈ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી રાજનિતીથી સમગ્ર દેશના મતદારો પ્રભાવિત થયા છે.

અંતમાં ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા જણાવ્યું હતું કે કોંગ્રેંસ વિસર્જનનું ગાંધીજીનું સ્વપ્ન નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કર્યું છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેસ્તનાબુદ થઈ જશે.

(4:26 pm IST)