Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સંતકબીર રોડ પર ધંધાકીય ખાર રાખી જીણાભાઇ ગોહેલની હત્યાનો પ્રયાસ

અતુલ ધેણોજાની ધરપકડ : ડાયા ભરવાડ, વિપુલ ભરવાડ, મેહુલ ભરવાડ, હાર્દિક આહીર, સાગર આહીર, પવોકોળી તેનો પુત્ર ભાવેશની શોધખોળ

રાજકોટ, તા. ૧પ : સંતકબીર રોડ પર રામદેવપીરના મંદિર પાસે આનંદ સાયકલ સ્ટોર નામની દુકાન પાસે ધંધા બાબતે થયેલા ડખ્ખાનો ખાર રાખી સગર આધેડ પર ભરવાડ અને આહીર સહિત આઠ શખ્સોએ જીવલેણ હુમલો કરતા બી-ડીવીઝન પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોંધી કોળી શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર રાજારામ સોસાયટી શેરી નં. રમાં રહેતા ધનજીભાઇ ભાણજીભાઇ સોલંકી ઙ્ગ(ઉ.વ.પ૦) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યું કે  પોતે કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છ ે. પોતે ગઇકાલે સંતકબીર રોડ પર આવેલા જીણાભાઇ વિઠ્ઠલભાઇ ગોહેલ (ઉ.વ.૪૮) ની રામદેવપીરના મંદિર ાસમે આવેલ ભગીરથ પાન નામની દુકાને બેઠા હતા અને જીણાભાઇ તેની બાજુમાં આનંદ સાયકલ સ્ટોર નામની દુકાનમાં બેઠા હતા ત્યાં ભગીરથ સોસાયટીના ડાયા ચનાભાઇ ભરવાડ તથા વિપુલ ભરવાડ, મેહુલ ભરવાડ, હાર્દિક ભરવાડ, સાગર આહિર, પવો કોળી તથા તેનો પુત્ર ભાવેશ તથા પવાનો ભાઇ અઅતુલ અને અજય બાબુતર  ધસી આવ્યા હતા અને દુકાનમાં ઘુસી જીણાભાઇને છરીના ઘા ઝીંકી દીધા હતા તેના પુત્ર ગૌરવે રાડારાડ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. હુમલાખોરો આજે તને મારી નાખવો છે તેમ બોલતા બોલતા ભાગી ગયા હતા. બાદ તેને તાકિદે સારવાર માટે સિવિલ હોસિપટલમાં ખસેડાયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસે જીણાભાઇના મીત્ર ધનજીભાઇ ભાણજીભાઇ સોલંકી (ઉ.વ.પ૦) (રહે. રાજારામ સોસાયટી શેરી નં. ર સંતકબીર રોડ) ની ફરીયાદ પરથી આઠ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી પીએસઆઇ આર.એસ. પટેલ સહિતના સ્ટાફે અતુલ માધુભાઇ ધેણોજા (ઉ.વ.૩૮) (રહે. ભગીરથ સોસાયટી)ની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.

(2:43 pm IST)