Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખપદે જગદીશભાઇ બોરીચાની વરણી

મંત્રી પદે નવીનપરી ગોસ્વામી અને કિશોરભાઇ રાઠોડ

રાજકોટ, તા. ૧પ : રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે રાજકોટ તાલુકાના ભાયસરના વતની જગદીશભાઇ બોરીચાની તેમજ મહામંત્રી પદે પડધરીના નવીનપરી ગોસ્વામી અને ધોરાજીના કિશોરભાઇ રાઠોડની વરણી કરી છે.

આ તકે નવનિયુકત પ્રમુખ જગદીશભાઇ બોરીચા અને મહામંત્રીશ્રી નવીનપરી ગોસ્વામી, કિશોરભાઇ રાઠોડએ જણાવ્યું હતું કે, બક્ષીપંચના તમામ લોકોને સરકારી યોજના વિષે માહિતગાર કરાશે તેમજ તેમના લાભો માટે પણ પ્રયત્નશીલ મોરચો રહેશે. આગામી દિવસોમાં તાલુકા અને બુથ સુધી મોરચાના સંગઠનની રચના કરી ભાજપ સાથે બક્ષીપંચના તમામ લોકોને જોડીને સંગઠનનો વ્યાપ વધારાશે.

આ નિમણૂકને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરા, મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, લાખાભાઇ સાગઠીયા તેમજ જીલ્લા ભાજપ ટીમ અને તાલુકા મંડલના હોદેદારો સહિત જીલ્લાના બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ આવકારી અભિનંદન પાઠવેલ છે. (૮.૪)

(11:45 am IST)