Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કોંગ્રેસનું જંકશન પ્લોટમાં કાર્યાલય ઉદ્ઘાટનઃ ભાજપના વિરોધમાં લતાવાસીઓ ઉમટયા

રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં-૩ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહની મહાસભા યોજવામાં આવેલ હતી. વોર્ડ નં-૩ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે  પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, કોર્પોરેટરશ્રી દિલીપભાઈ આસવાણી, ગીતાબેન પુરબીયા , કોંગ્રેસ અગ્રણી પ્રદિપ ત્રીવેદી, નિદત બારોટ, ધારાશાસ્ત્રીશ્રી અશોકસિંહ વાઘેલા, કોંગ્રેસ અગ્રણીશ્રી યતીનભાઈ વાઘેલા, વોર્ડનં- ૩ પ્રમુખશ્રી ગૌરવભાઈ પુજારા ઉપસ્થિત રહેલ. તે જ સમયે એકાએક મુખ્યમંત્રી લોકશાહીને લાંછન લાગે તેવી રીતે દમન કરવામાં આવેલ તે દરમ્યાન વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળેલ, લોકો દ્વારા ''ચોકીદાર ચોર'' ''મુખ્ય મંત્રી ચોર'' તેવા નારા લાગવા માંડયા, વાતાવરણને ભાખતા મુખ્યમંત્રી પોતાની સભામાંથી ચાર મીનીટમાં ચાલ્યા ગયા હતા જે  સમયે કાર્યકર્તા ઉત્સાહીત થઈ જંકશન મેઈન રોડ થી સિંધી કોલોની સાઈનાથ મંદિર સુધી ઝંડા લઈ આક્રોશ રેલી કરેલી. કાર્યાલય ઉદ્ઘાટનમાં કોંગ્રેસના વોર્ડ મહામંત્રી વિજયભાઈ સીતાપરા, બુથ ઈન્ચાર્જ સુનીલભાઈ ચૌહાણ, બિદેશ પડીયા, મનુભાઈ કોટક, તુષારભાઈ દવે, વિપુલભાઈ વાડોલીયા, હિતેષભાઈ બગડાઈ, યોગેશભાઈ માખેચા, આત્મારામભાઈ મોટવાણી, ન્યાલભાઈ નેભાણી, જીતુભાઈ ચંદનાણી, ઘનશ્યામભાઈ ખાનચંદાણી, પ્રકાશભાઈ અડવાણી, દિલીપ ચાવલા, મયુર દાંધવાણી, ઠાકુરભાઈ ખાનચંદાણી, મહેશભાઈ બુધવાણી, નારણભાઈ જાંગીયાણી, રામભાઈ ભોણીયા, રફીકભાઈ, છગનભાઈ બેડીયા, મીલીનભાઈ પરમાર, આનંદભાઈ, દેવેન્દ્રસિંહ, સિધ્ધરાજસિંહ, લાલુભા, યાસ્મીનબેન સહિતના અગ્રણીઓ હાજર  રહેલ.

(3:39 pm IST)