Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાજકોટનાં પૂર્વ જીલ્લા સરકારી વકીલ અને સીનીયર ધારાશાસ્ત્રી મોહનભાઇ સાયાણીનું દુઃખદ અવસાન

રાજકોટ : આશરે પચાસ વર્ષથી વધુ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ પીઢ ધારાશાસ્ત્રી શ્રી મોહનભાઇ સાયાણીનું આજરોજ  અવસાન થયેલ છે.

શ્રી મોહનભાઇ સાયાણીએ  ઘણા વર્ષે સુધી જીલ્લા સરકારી વકિલ તરીકે ફરજબજાવી અનેક ચર્ચાસ્પદ કેસોમાં કાયદાકીય લડત આપી સરકાર તરફે નિષ્ઠાપૂર્વક સફળ કામગીરી કરેલ હતી.

શ્રી મોહનભાઇ સાયાણીએ  અનેક ચકચારી કેસો જેવા કે ટાડા કેસ, મર્ડર કેસો,  કસ્ટોડીયલ ડેથ જેવા ચર્ચાસ્પદ કેસોમાં સરકાર તરફે સ્પેશીયલ પ્રોસીકયુયર તરીકે ફરજ બજાવેલ હતી.

શ્રી મોહનભાઇ સાયાણી યુવા વકીલોના આદર્શ હતા અને કોઇપણ જુનીયર વકીલને કોઇપણ સમયે મુશ્કેલી પડે તો તેમને હરહંમેશ મદદ કરતા, શ્રી મોહનભાઇ એ. એમ. પી. લો-કોલેજમાં પણ પાર્ટટાઇમ પ્રોફેસર તરીકે સેવા આપી અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડેલ છે.

હંમેશા હસતો ચહેરો અને વકીલોને મદદ કરવાની ભાવના ધરાવતા શ્રી મોહનભાઇ સાયાણીના નિધનથી વકીલ આલમમાં શોકનું મોજું ફેલાયેલ છે.

(3:02 pm IST)