Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ભાયાસરમાં બળદે ઢીંક મારતાં જસમતભાઇ જાંબુકીયાનું મોત

રાજકોટઃ સરધાર નજીકના ભાયાસર ગામમાં રહેતાં જસમતભાઇ પોપટભાઇ જાંબુકીયા (ઉ.૫૨) પોતાની વાડીએ હતાં ત્યારે બળદને ચારો નાંખવા જતાં બળદે ઢીંક મારી દેતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:36 am IST)