Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

રૂપાવટીમાં જાવિદ પઠાણને અહિથી કેમ નીકળ્યો? કહી છરી-દાંતરડાના ઘા ઝીંકાયા

ગફાર, રાજુ, ભુરા અને અજાણ્યા શખ્સો તૂટી પડ્યાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૫: ગોંડલના રૂપાવટીમાં રહેતાં અને કપડાની દૂકાનમાં નોકરી કરતાં જાવિદ રઝાકભાઇ પઠાણ (ઉ.૨૨) નામના યુવાન પર ઘોઘાવદર રોડ પર સંગમ પ્લોટ પાસે રાત્રીના દસેક વાગ્યે ગફાર, રાજૂ અને ભુરા તથા બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી છરી-દાંતરડાના ઘા ઝીંકી દેતા ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાવિદના કહેવા મુજબ પોતે રાતે દૂકાને નોકરી પુરી કરી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ગફાર સહિતે અટકાવી તને આ બાજુથી નીકળવાની ના પાડી છે તો'ય કેમ નીકળ્યો? કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(1:01 pm IST)