Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

બેભાન હાલતમાં નાડોદાનગરના હંસાબેન જાદવે દમ તોડ્યો

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ હુડકો ચોકી પાછળ નાડોદાનગર-૫માં રહેતાં હંસાબેન રાજેશભાઇ જાદવ (કોળી) (ઉ.વ.૫૨) સવારે ચારેક વાગ્યે ઘરે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે.

ગોંડલ રોડ પરના વૃધ્ધાશ્રમમાં પ્રવિણભાઇ ગોહેલનું મોત

બીજા બનાવમાં ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં પ્રવિણભાઇ નારણભાઇ ગોહેલ (ઉ.વ.૬૦) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(1:01 pm IST)