Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

'અકિલા'ના પત્રકાર તુષાર ભટ્ટનો સોમવારે આકાશવાણીમાં વાર્તાલાપ

રાજકોટ, તા. ૧૫ :. આકાશવાણી રાજકોટ કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતા ઉદ્યોગ જગત કાર્યક્રમમાં 'અકિલા'ના યુવા પત્રકાર તુષાર મણીલાલ ભટ્ટનો વાર્તાલાપ તા. ૧૭ને સોમવારે પ્રસારિત થશે.

આકાશવાણી રાજકોટ કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતા ઉદ્યોગ જગત કાર્યક્રમમાં તા. ૧૭ને સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યે અકિલાના યુવા પત્રકાર તુષાર એમ. ભટ્ટ 'ટચુકડી તેલ મીલ એક કુટીર ઉદ્યોગ' વિષય ઉપર તેલ મીલના વ્યવસાય વિશે તથા આ વ્યવસાય માટે સરકાર તરફથી મળતી સહાય અંગેના વિવિધ મુદ્દાઓ ઉપર વાર્તાલાપ રજૂ કરશે. આ કાર્યક્રમનું નિર્માણ આકાશવાણીના અધિકારી ડો. વિપુલભાઈ ત્રિવેદીએ કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવા પત્રકાર તુષાર એમ. ભટ્ટના અનેક વાર્તાલાપો તથા મુલાકાતો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ ચૂકયા છે.

(9:53 am IST)